Jul 19, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-871

 

અધ્યાય-૨૩-દુર્ગાસ્તોત્ર 


 II संजय उवाच II धार्तराष्ट्रबलं द्रष्टा युद्धाय समुपास्थितम् I अर्जुनस्य हितार्थाय कृष्णो वचनमब्रवीत II १ II

સંજયે કહ્યું-દુર્યોધનના સૈન્યને યુદ્ધ માટે આવી પહોંચેલું જોઈને શ્રીકૃષ્ણ અર્જુનના હિત માટે,તેને કહેવા લાગ્યા કે-

'હે મહાબાહુ,તું પવિત્ર સંગ્રામભૂમિની સન્મુખ ઉભો રહીને શત્રુઓના પરાજય માટે દુર્ગાસ્તોત્રનો પાઠ કર'

ત્યારે અર્જુન રથમાંથી ઉતરીને બે હાથ જોડીને દુર્ગાસ્તોત્ર ભણવા લાગ્યો 

Jul 18, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-870

 

અધ્યાય-૨૨-પાંડવ સૈન્યનું વર્ણન


II संजय उवाच II ततो युधिष्ठिरो राज स्वां सेनां समनोदयत् I प्रतिव्युहन्ननिकानि भीष्मस्य भरतर्षभ II १ II

સંજયે કહ્યું-હે ભરતશ્રેષ્ઠ,તે પછી,યુધિષ્ઠિરે,ભીષ્મની સેના સામે વ્યૂહરચના માટે પોતાની સેનાને આજ્ઞા કરી.ત્યારે અર્જુને સેનાને 

તેમના ઉદ્દેશ મુજબ વ્યૂહરચનામાં ગોઠવી.સૈન્યના મધ્યમાં અર્જુને રક્ષેલા શિખંડીનું સૈન્ય હતું.ભીમસેનથી રક્ષાયેલો ધૃષ્ટદ્યુમ્ન સૈન્યના મોખરામાં હતો.સાત્યકિએ દક્ષિણ તરફના સૈન્યનું રક્ષણ કર્યું હતું.

Jul 17, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-869

 

અધ્યાય-૨૧-યુધિષ્ઠિર અને અર્જુનનો સંવાદ 


II संजय उवाच II बृहतीं धार्त्राष्ट्रस्य सेनां द्रष्टा समुद्यता I विषादमगमद्राजा कुन्तीपुत्रो युधिष्ठिरः II १ II

સંજ્યાએ કહ્યું-દુર્યોધનની મોટી સેનાને યુદ્ધ કરવા તત્પર થયેલી જોઈને,કુંતીપુત્ર યુધિષ્ઠિર ખેદ પામ્યા.ભીષ્મે રચેલા અભેદ્ય નામના વ્યુહને જોઈને તેઓ ફીક્કા પડી ગયા અને અર્જુનને કહેવા લાગ્યા કે-'હે ધનંજય,ભીષ્મપિતામહથી રક્ષિત કૌરવોના આ સૈન્ય સાથે સંગ્રામમાં આપણે કેવી રીતે યુદ્ધ કરી શકીશું? ભીષ્મે શાસ્ત્રોક્ત વિધિ વડે આ અડગ અને અભેદ વ્યૂહ રચ્યો છે,હું સંશયમાં છું કે આ મહાવ્યૂહ આગળ આપણો જય કેવી રીતે થશે?(5)

Jul 16, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-868

 

અધ્યાય-૨૦-સૈન્યવર્ણન 


II धृतराष्ट्र उवाच II सूर्योदये संजय के नु पूर्व युयुत्सवो हृष्यमाणा इवासन I 

मामका वा भीष्मनेत्राः समीपे पांडवा वा भीमनेत्रानदानिम II १ II

ધૃતરાષ્ટ્રે કહ્યું-હે સંજય,સૂર્યોદય થયો ત્યારે યુદ્ધ કરવાની ઈચ્છાથી ઉત્સુક થઈને પ્રથમ કોણ આગળ આવ્યા હતા?

કયી સેના તરફ ચંદ્ર,સૂર્ય અને વાયુ અશુભસૂચક હતા? કયી સેના તરફ પશુઓ અમંગળ શબ્દ કરતાં હતાં? અને 

કયી સેનાપક્ષના યુવાનોનો મુખનો રંગ પ્રસન્ન હતો?તે સઘળું તું મને યથાર્થ રીતે કહે.

Jul 15, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-867

 

અધ્યાય-૧૯-પાંડવસેનાની વ્યૂહરચના  


II धृतराष्ट्र उवाच II अक्षौहिण्यो दशैका च व्यूढा द्रष्टा युधिष्ठिरः I कथमल्पेन सैन्येन प्रत्यव्युहत पांडवः II १ II

ધૃતરાષ્ટ્રે પૂછ્યું-પાંડુપુત્ર યુધિષ્ઠિરે,અમારી અગિયાર અક્ષૌહિણી સેનાની વ્યૂહરચના જોઈને તેની સામે પોતાના અલ્પસૈન્યની કેવી વ્યૂહરચના કરી હતી? માનુષી,દૈવી,ગંધર્વ અને આસુરી વ્યૂહરચના જાણનારા ભીષ્મ સામે યુધિષ્ઠિરે કેવો વ્યૂહ રચ્યો હતો?

સંજયે કહ્યું-દુર્યોધનની સેનાને વ્યૂહમાં ગોઠવાયેલી જોઈને,યુધિષ્ઠિરે અર્જુનને કહ્યું કે-'હે તાત,બૃહસ્પતિનાં વચનોથી વિદ્વાનો કહે છે કે-થોડા યોદ્ધાઓ હોય તો તેમને ભેગા કરીને લઢાવવા અને ઘણા હોય તો વિસ્તારીને લઢાવવા.ઘણાની સાથે થોડાને લઢવાના પ્રસંગથી સૂચીમુખ વ્યૂહ રચવો.તે પ્રમાણે શત્રુઓના કરતાં આપણું સૈન્ય થોડું છે માટે તું બૃહસ્પતિના વચન પર લક્ષ્ય દઈને આપણા સૈન્યની વ્યૂહરચના કર'

Jul 14, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-866

 

અધ્યાય-૧૮-સૈન્ય વર્ણન (ચાલુ)


II संजय उवाच II ततो मुहूर्तात्तुमुल: शब्दो ह्रदयकंपनः I अश्रूयत महाराज योधानां प्रयुयुत्सताम II १ II

સંજયે કહ્યું-હે મહારાજ,તે પછી બે ઘડી થતાંજ યુદ્ધ કરવાની તીવ્ર ઈચ્છાવાળા યોદ્ધાઓનો હૃદયને કંપાવી નાખે તેવો તુમુલ શબ્દ સંભળાવા લાગ્યો.શંખો-દુંદુભીઓના ધ્વનિઓથી,હાથીઓના ચિત્કારોથી અને રથોના ઘડઘડાટોથી પૃથ્વી ફાટી જતી હોય એમ જણાવા લાગ્યું.ઘોડાઓના હણહણાટો ને યોદ્ધાઓની ગર્જનાઓથી એક ક્ષણમાં જ પૃથ્વી ને આકાશ ભરાઈ ગયાં.

પરસ્પર મળેલી સેનાઓ કંપવા લાગી.જાતજાતનાં આયુધો અને ધનુષ્યોવાળા મહાધનુર્ધારી કુરુઓના શ્રેષ્ઠ યોદ્ધાઓ સૈન્યના મોખરા પર શોભતા હતા.

Jul 13, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-865

 

અધ્યાય-૧૭-સૈન્ય વર્ણન (ચાલુ)


II संजय उवाच II यथा स भगवान्व्यासः कृष्णद्वैपायनोब्रवीत I तथैव सहिता: सर्वे समाजग्मुर्महिक्षित: II १ II

સંજયે કહ્યું-ભગવાન કૃષ્ણદ્વૈપાયન વ્યાસે જે પ્રમાણે કહ્યું હતું,તે પ્રમાણે સર્વ રાજાઓ એકઠા મળીને ત્યાં રણભૂમિ પર આવ્યા,તે દિવસે ચંદ્ર સહિત સાત ગ્રહો બળતા હોય તેવા લાલ જણાતા હતા તથા આકાશમાં એકબીજા પર ગતિ કરતા હતા.

ઉદય સમયે સૂર્ય બે ભાગ થઇ ગયેલા હોય તેવો જણાતો હતો અને પુષ્કળ જ્વાળાઓ કાઢતો ઉદય પામ્યો હતો.શિયાળો અને કાગડાઓ.માંસ અને રુધિર મળવાની લાલસાથી,દિશાઓમાં શબ્દો કરતા હતા.યુદ્ધ શરુ થયું ત્યારેથી હંમેશાં પિતામહ ભીષ્મ અને દ્રોણ,પ્રાતઃકાળમાં ઉઠીને 'પાંડુપુત્રોનો જય થાઓ'એમ એકાગ્ર મનથી કહી,પછી તે બંને શત્રુઓને દમનારા,તમારી સાથે કરેલા ઠરાવ મુજબ,તમારા માટે યુદ્ધ કરતા હતા.

Jul 12, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-864

 

અધ્યાય-૧૬-સૈન્ય વર્ણન 


II संजय उवाच II ततो रजन्यां वयुष्टायां शब्दः समभवन्महान I क्रोश्तां भूमिपालानां युज्यतां युज्यतामिति II १ II

સંજયે કહ્યું-પછી,રાત્રિ પુરી થતાં જ 'તૈયાર થાઓ' એ પ્રમાણે બૂમ મારતા રાજાઓનો મોટો શબ્દ થયો.હે ભારત,દુંદુભીના ધ્વનિઓથી,ઘોડાઓના હણહણાટથી,હાથીઓની ચીસોથી,રથના ઘડઘડાટોથી અને યોદ્ધાઓની ગર્જનાઓથી ત્યાં સર્વ તરફ ઘોંઘાટ થઇ રહ્યો.બને પક્ષની સેનાઓ સંપૂર્ણ રીતે સજ્જ થઈને ઉભી રહી ને સૂર્ય પ્રકાશમાં ઝળકી રહી.તે સર્વમાં તમારા પિતા ભીષ્મ પૂર્ણ ચંદ્રની જેમ શોભતા હતા.ત્યાં સેંકડો હાથીઓ,ઘોડાઓ,રથીઓ અને પાળાઓ,જાળની જેમ ફેલાઈ ગયા.

Jul 11, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-863

 

અધ્યાય-૧૫-દુર્યોધનની દુઃશાસનને આજ્ઞા 


II संजय उवाच II त्वद्युक्तोयमनुप्रश्नो महाराज यथार्हसि I न तु दुर्योधने दोषमिममासंक्तुमर्हसि II १ II

સંજયે કહ્યું-હે મહારાજ,આ તમારો પાછળનો પ્રશ્ન યોગ્ય છે ને તમને ઘટે તેવો છે,પરંતુ તમારે આ દોષ દુર્યોધન પર મુકવો યોગ્ય નથી કારણકે જે મનુષ્યને પોતાના દુશ્ચરિત્રથી નઠારું ફળ પ્રાપ્ત થાય તેણે તે પાપ બીજાના માથે નાખવું યોગ્ય નથી.નિષ્કપટ બુદ્ધિવાળા પાંડવોએ તમારી તરફ જોઈને અપકાર અનુભવ્યો અને વનમાં લાંબા કાળ સુધી સહન કર્યો છે.હવે હું રાજાઓના સંબંધમાં જે કંઈ નજરથી તથા યોગબળથી જોયું છે તે તમે સાંભળો.મનમાં શોક કરશો નહિ,કેમ કે આ પ્રમાણે થવાનું દૈવ પૂર્વથી જ નિર્માયેલું હતું.હું વ્યાસજીને નમસ્કાર કરું છું કે જેમની કૃપાથી મને દિવ્ય દ્રષ્ટિ મળી છે.હવે હું યુદ્ધ વિસ્તારથી ક્રમથી કહું છું.

Jul 10, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-862

 

અધ્યાય-૧૪-ધૃતરાષ્ટ્રનો પ્રશ્ન-ભીષ્મ કેવી રીતે હણાયા?


II धृतराष्ट्र उवाच II कथं करुणामृषभो हतो भीष्मः शिखण्डिना I कथं रथात्स न्यपतत्पिता मे वासवोपमः II १ II

ધૃતરાષ્ટ્રે પૂછ્યું-કુરુકુળશ્રેષ્ઠ ભીષ્મ,શિખંડીના હાથે કેવી રીતે હણાયા?ઇન્દ્રસમાન પિતામહ રથમાંથી કેવી રીતે પડ્યા?

દેવતુલ્ય પરાક્રમી ભીષ્મથી રહિત થયેલા મારા યોદ્ધાઓની કેવી સ્થિતિ થઇ?તે જયારે હણાયા ત્યારે તારા મનની કેવી સ્થિતિ થઇ હતી? તેમને હણાયેલા સાંભળીને મારું મન મહાદુઃખમાં ડૂબી જાય છે.તે ભીષ્મ સાથે ને આગળ પાછળ તેમનું રક્ષણ કરતા કયા યોદ્ધાઓ ચાલતા હતા? શત્રુસેનાના કોણે તેમને ઘેરી લીધા હતા? તેં જે સર્વ જોયું તે મને કહે.

Jul 9, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-861

 

અધ્યાય-૧૩-ભીષ્મ પતનનું સંક્ષિપ્ત વર્ણન 


II वैशंपायन उवाच II अथ गावल्गणिर्विद्वान संमुगादेत्य भारत I प्रत्यक्षदशीं सर्वस्य भूतभव्यभविष्यवित् II १ II

વૈશંપાયને કહ્યું-'હે જન્મેજય,પછી,ભૂત,ભવિષ્ય તથા વર્તમાન જાણનાર અને સર્વ વાતને પ્રત્યક્ષ જોનાર,વિદ્વાન ગાવલ્ગણનો પુત્ર સંજય,એકાએક આવીને,વિચારમાં પડેલા ધૃતરાષ્ટ્રને,'પિતામહ ભીષ્મ હણાયા'-એ વાત દુઃખી થઇ કહેવા લાગ્યો'

સંજયે કહ્યું-'હે મહારાજ,હું સંજય આપને વંદન કરું છું.ભરતવંશીઓના શ્રેષ્ઠ શાંતનુપુત્ર ભીષ્મ હણાયા.તે આજે બાણ શય્યા પર સૂતા છે.જેના પરાક્રમ પાર આશ્રય કરીને તમારો પુત્ર દ્યુત રમ્યો હતો,તે ભીષ્મ સંગ્રામમાં શિખંડીથી હણાઇને પડ્યા છે.જે મહારથીએ કાશીમાં એક રથના આશ્રય વડે સર્વ રાજાઓને હરાવ્યા હતા અને જેમણે પરશુરામની સાથે યુદ્ધ કર્યું હતું,પણ જે પરશુરામથી હણાયા નહોતા તેમને આજે શિખંડીએ હણ્યા છે.

Jul 8, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-860

 

અધ્યાય-૧૨-ઉત્તરદ્વીપ વગેરે સંસ્થાનોનું વર્ણન 


II संजय उवाच II उत्तरेषु च कौरव्य द्वीपेषु श्रूयते कथा I एवं तत्र महाराज बृवतश्च निबोध मे II १ II

સંજયે કહ્યું-હે કૌરવ્ય,હવે ઉત્તરમાં આવેલા દ્વીપો સંબંધી કથા કહું છું.એ ઉત્તર દિશામાં ઘૃતસમુદ્ર,દધિમંડોદક સમુદ્ર,

સુરોદસમુદ્ર અને ચોથો જળસમુદ્ર છે.એ સર્વ દ્વીપો ઉત્તરોત્તર બમણા બમણા પ્રમાણના છે.મધ્યમ દ્વીપમાં ગૌર નામનો મોટો પર્વત છે.પશ્ચિમ દ્વીપમાં નારાયણનો સખાકૃષ્ણ નામનો પર્વત છે.કેશવ પોતે ત્યાં દિવ્ય રત્નોનું રક્ષણ કરે છે અને પ્રસન્ન રહીને ત્યાંની પ્રજાને સુખ આપે છે.કુશદ્વીપમાં એક દર્ભનું મોટું ધૂંગુ છે.શાલ્મલી દ્વીપમાં એક શીમળાનું ઝાડ છે.

Jul 7, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-859

 

ભૂમિ પર્વ 

અધ્યાય-૧૧-શાકદ્વીપનું વર્ણન 

II धृतराष्ट्र उवाच II जंबुखंडस्त्वया प्रोक्तो यथावदिह संजय I विष्कम्भमस्य प्रब्रूहि परिमाणं तु तत्वतः II १ II

ધૃતરાષ્ટ્રે પૂછ્યું-હે સંજય,તેં મને જંબુખંડનું યથાર્થ વર્ણન કહ્યું,હવે એ ખંડનું માપ અને વિસ્તાર મને કહે.

વળી,શાકદ્વીપ,કુશદ્વીપ,શાલ્મલિદ્વીપ,ક્રૌંન્ચદ્વીપ,રાહુ,ચંદ્ર,અને સૂર્ય એ સર્વનું યથાર્થ વર્ણન મને કહે.

સંજયે કહ્યું-હે રાજા,જંબુપર્વતનો વિસ્તાર પુરા અઢાર હજાર ને છસો યોજનનો છે.અને ક્ષાર સમુદ્રનો વિસ્તાર 

તેનાથી બમણો છે.તેમાં અનેક દેશો રહેલા છે તથા તે મણિ અને વૈડૂર્યથી સંપન્ન છે.એ સમુદ્ર મંડળાકાર છે.

Jul 5, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-858

અધ્યાય-૧૦-યુગ પ્રમાણે આયુષ્યનું વર્ણન 


II धृतराष्ट्र उवाच II भारतस्यास्य वर्षस्य तथा हैमवतस्य च I प्रमाणमामुषः सुत बलं चापि शुभाशुभं II १ II

ધૃતરાષ્ટ્રે પૂછ્યું-હે સૂત,આ ભારતવર્ષ,હૈમવત,અને હરિવર્ષ-આ ત્રણે ખંડના લોકોનાં આયુષ્યનું 

પ્રમાણ અને બળ તથા ભૂત,ભવિષ્ય અને વર્તમાન કાળનું શુભાશુભ એ સર્વ તું મને વિસ્તારથી કહે.

સંજયે કહ્યું-હે ભરતશ્રેષ્ઠ,ભારતવર્ષમાં સત્ય(કૃત),ત્રેતા,દ્વાપર અને કળિ-એવા (ક્રમથી થતા) ચાર યુગો છે.એમાં સત્યયુગમાં મનુષ્યોનું આયુષ્ય ચાર હજાર વર્ષ,ત્રેતાયુગમાં ત્રણ હજાર વર્ષ અને દ્વાપરયુગમાં બેહજાર વર્ષનું છે.કળિયુગમાં મનુષ્યોના આયુષ્યનું કોઈ ઠેકાણું નથી,કારણકે કળિયુગના મનુષ્યો ગર્ભમાં પણ મરે છે ને ઉત્પન્ન થઈને પણ મરે છે.(7)

Jul 4, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-857

 

અધ્યાય-૯-ભારતવર્ષનું વર્ણન 


II धृतराष्ट्र उवाच II यदिदं भारतं वर्षं यत्रेदं मुर्च्छितं बलम् I यत्रातिमात्रलुब्धोऽयं पुत्रो दुर्योधनो मम II १ II

ધૃતરાષ્ટ્રે કહ્યું-આ ભારતવર્ષ કે જેમાં આટલું મોટું સૈન્ય એકઠું થયું છે,જેમાં મારો પુત્ર દુર્યોધન,અત્યંત લુબ્ધ થયો છે,

જેમાં પાંડવો લલચાય છે અને જેમાં મારું મન પણ આસક્ત થયું છે,તેનું યથાર્થ વર્ણન કહી સંભળાવ.

સંજયે કહ્યું-હે રાજા,આ ભારતવર્ષને માટે પાંડવો લલચાયા નથી પણ શકુનિ અને દુર્યોધન એ બંને લલચાયા છે.

વળી જુદાજુદા દેશોના રાજાઓ પણ ભારતવર્ષને માટે લોભાય છે,તેથી તેઓ એકબીજાને સાંખી શકતા નથી.