Sep 19, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-929

 

અધ્યાય-૫૪-કલિંગરાજાનો વધ 


॥ धृतराष्ट्र उवाच ॥ तथा प्रातिसमादिष्टः कालिंगोवाहिनी पतिः I कथमदभूतकर्माणं भीमसेनं महाबलं ॥१॥ 

શ્રુતરાષ્ટ્રે પૂછ્યું-હે સંજય,મારા પુત્ર દુયોધને જયારે કલિંગરાજને ભીમસેન સામે મોકલ્યો,ત્યારે તેણે,

હાથમાં યમરાજાની જેમ ગદા લઈને ફરતા ભીમ સામે કેવી રીતે યુદ્ધ કર્યું? તે મને કહે.

સંજયે કહ્યું-સામે,કલિંગોની સેનાને અને તેમની સાથે આવતા નિષાદપતિ કેતુમાનને જોઈને,ભીમ,ચેદીઓને લઈને તેમની સામે ગયો.અને ભયંકર તુમુલ યુદ્ધ શરુ થયું.તે વેળાએ યોદ્ધાઓ પોતાના તથા પારકાઓને જાણી શકતા નહોતા.અન્યોઅન્યનો સંહાર કરતા તે યોદ્ધોએ રણભુમીને લોહીથી ખરડી નાખી હતી.કલિંગોના પ્રમાણમાં થોડા એવા ચેદીઓએ પોતાનું યથાશક્તિ પરાક્રમ બતાવીને ભીમસેનને એકલો છોડીને પાછા હટવા લાગ્યા.ભીમસેન ચારેબાજુથી કલિંગોથી ઘેરાયેલો હતો પણ તે જરા પણ ચલિત થયા વિના કલિંગોની સેનાને તીક્ષ્ણ બાણોથી આચ્છાદિત કરવા લાગ્યો.

Sep 18, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-928

 

અધ્યાય-૫૩-દ્રોણાચાર્ય અને ધૃષ્ટદ્યુમ્નનું યુદ્ધ 


॥ धृतराष्ट्र उवाच ॥ कथं द्रोणो महेष्वासः पान्चाल्यश्वापिपार्षतः I उभौ समीयतुर्यतौ तन्ममाचक्ष्व संजय ॥१॥ 

ધૃતરાષ્ટ્રે પૂછ્યું-'હે સંજય,મહાધનુર્ધારી દ્રોણાચાર્ય અને દ્રુપદપુત્ર ધૃષ્ટદ્યુમ્નનો કેવી રીતે સંગ્રામ થયો? રણમાં ભીષ્મ,અર્જુનને જીતી શક્યા નહિ તેમાં,પરાક્રમ કરતાં ભાવિને હું પ્રબળ માનું છું.ભીષ્મ જો કોપ કરીને લડે તો ચર-અચર લોકનો નાશ કરી શકે,ત્યારે તે પોતાના બળથી પાંડવોને યુદ્ધમાં કેમ જીતી શક્યા નહિ? તે મને કહે'

Sep 17, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-927

 

અધ્યાય-૫૨-ભીષ્મ અને અર્જુનનું યુદ્ધ 


॥ धृतराष्ट्र उवाच ॥ एवं व्युढेष्वनीकेषु मामकेष्वितरेषुच I कथं प्रहरतां श्रेष्ठाः संप्रहारं प्रचक्रिरे ॥१॥ 

ધૃતરાષ્ટ્રે પૂછ્યું-એ પ્રમાણે મારાં  તથા શત્રુઓનાં સૈન્યો ગોઠવાઈ ગયા પછી યોદ્ધાઓ અન્યોન્યને કેવી રીતે પ્રહાર કરવા લાગ્યા?

સંજયે કહ્યું-આવી રીતે વ્યૂહરચનાવાળું સૈન્ય જોઈને દુર્યોધન બધા સૈનિકોને આજ્ઞા કરવા લાગ્યો કે-'હે સૈનિકો,મનમાં દંશ રાખીને યુદ્ધનો પ્રારંભ કરો' તેની આજ્ઞાથી સર્વ યોદ્ધાઓ,પોતાના મનને ક્રૂર કરીને પાંડવોની સામે ધસ્યા.અને રોમાંચજનક તુમુલ યુદ્ધ શરુ થયું.હે રાજન,તમારા અને પાંડવોના રથો અને હાથીઓ પણ સેળભેળ થઇ ગયા.રથીઓએ છોડેલાં તીક્ષ્ણ બાણો એકબીજાને ઘાયલ કરવા ને મારવા લાગ્યા,અનેક લાશો પડવા લાગી.

Sep 16, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-926

 

અધ્યાય-૫૧-કૌરવોની વ્યૂહરચના 


॥ संजय उवाच ॥ क्रौञ्चं द्रष्ट्वा ततो व्युहमभेद्यं तनयस्तव I रक्ष्यमाणं महाघोरं पार्थेनामिततेजसा ॥१॥ 

સંજયે કહ્યું-પૂર્વોક્ત,અભેદ્ય એવા ઘોર ક્રૌંન્ચવ્યુહને જોઈને,ને તેના રક્ષક તરીકે ઉભેલા અર્જુનને જોઈને,દુર્યોધન,દ્રોણાચાર્ય પાસે જઈને,કૃપ,શલ્ય-આદિ ને સર્વ ભાઈઓ તથા યોદ્ધાઓને હર્ષ પમાડતો કહેવા લાગ્યો કે-હે વીર યોદ્ધાઓ,તમારામાંનો પ્રત્યેક,પાંડવોનો નાશ કરવા માટે સમર્થ છે તો તમે સર્વ એકત્ર થઈને તો શું ન કરી શકો? તો પણ,ભીષ્મથી રક્ષિત એવું આપણું સૈન્ય અપૂર્ણ દેખાય છે અને ભીમસેનથી રક્ષિત એવું તેઓનું સૈન્ય પૂર્ણ દેખાય છે,માટે સર્વ પોતપોતાના સૈન્યને આગળ કરીને ભીષ્મનું રક્ષણ કરો.કેમ કે તે એક સર્વને માથે ભારે છે.(સર્વનો નાશ કરવા તે અર્જુનની જેમ જ સમર્થ છે)

Sep 15, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-925

 

અધ્યાય-૫૦-બીજો દિવસ-યુધિષ્ઠિરનો ઉદ્વેગ ને કૌંચવ્યૂહ 


॥ संजय उवाच ॥ कृतेवहारे सैन्यानां प्रथमे भरतर्षभ I भीष्मे च युध्धसंरब्धे हृष्टे दुर्योधने तथा ॥१॥ 

સંજયે કહ્યું-હે ભરતશ્રેષ્ઠ,એ પ્રમાણે પહેલે દિવસે,જયારે સૈન્યોને પાછાં વળ્યાં,ત્યારે ભીષ્મ ઘણા જ ક્રોધાયમાન હતા અને દુર્યોધન ઘણો જ આનંદિત થયો હતો,તેથી પોતાના પરાજયની શંકા કરીને શોકાતુર થયેલા યુધિષ્ઠિર,પોતાના ભાઈઓ અને પોતાના પક્ષના રાજાઓને સાથે,કૃષ્ણની પાસે જઈને,ભીષ્મના પરાક્રમ સંબંધી વિચાર કરી,તેમને કહેવા લાગ્યા કે-

Sep 14, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-924

 

અધ્યાય-૪૯-શંખયુદ્ધ અને પ્રથમ દિનની સમાપ્તિ 


॥ धृतराष्ट्र उवाच ॥ श्वेते सेनापतौ तात संग्रामेनिहते परै: I किंकुर्वन्महेष्वासाः पंचालाः पांडवैः सहा ॥१॥ 

ધૃતરાષ્ટ્રે કહ્યું-હે તાત,શ્વેતકુમાર સેનાપતિને શત્રુઓએ જયારે યુદ્ધમાં મારી નાખ્યો,ત્યારે મોટા ધનુર્ધારી એવા પાંચાલોએ અને પાંડવોએ શું કર્યું?તે શ્વેતકુમારને માટે પ્રયત્ન કરતા તથા યુદ્ધમાં નાસી જતા પાંડવોના યોદ્ધાઓનો પરાજય અને આપણો જય બતાવનારાં વાક્યોને સાંભળીને મારુ મન પ્રસન્ન થાય છે તથા આપણા પક્ષના અત્યાચાર-અપરાધથી મને શરમ ઉપજતી નથી.

પણ,ભીષ્મ જેવા ધર્મવ્રતે,શ્વેતકુમાર જે રથરહિત હતો તેનો યુદ્ધનીતિથી વિરુદ્ધ વર્તી કેમ નાશ કર્યો? 

Sep 13, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-923

 

અધ્યાય-૪૮-શ્વેતકુમારનો વધ 


॥ धृतराष्ट्र उवाच ॥ एवं श्वेते महेष्वासे प्राप्ते शल्य रथं प्रति I कुरवः पांडवेयाश्व किमकुर्वत संजय ॥१॥ 

ધૃતરાષ્ટ્રે કહ્યું-હે સંજય,એ પ્રમાણે જયારે મોટા ધનુષ્યને ધારણ કરનાર એવો શ્વેતકુમાર 

શલ્યના રથની સામે આવી પહોંચ્યો,ત્યારે કૌરવો,પાંડવો અને ભીષ્મે શું કર્યું?તે મને કહે.

સંજયે કહ્યું-ત્યાર પછી,હજારો ક્ષત્રિયો અને હજારો મહારથી યોદ્ધાઓ શૂરવીર એવા સેનાપતિ શ્વેતકુમારને આગળ કરીને દુર્યોધનને પોતાનું બળ દેખાડવા લાગ્યા.વળી,તે શ્વેતકુમારનું રક્ષણ કરવા શિખંડીને આગળ કરીને,પાંડવોની સેનાનો નાશ કરતા ભીષ્મની સામે યોદ્ધાઓએ ધસારો કર્યો.તુમુલ યુદ્ધ ચાલ્યું.ભીષ્મે ઘણું અદભુત કર્મ કર્યું ને રથોને બાણો વડે ઢાંકી દીધા.અને સૂર્યને પણ બાણો વડે ઢાંકી દીધો.તેમણે સેંકડો બાણો છોડીને ક્ષત્રિયોનો સંહાર કરવા માંડ્યો.

Sep 12, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-922

 

અધ્યાય-૪૭-ભીષ્મ અને શ્વેતકુમારનું યુદ્ધ 


॥ संजय उवाच ॥ गतपुर्वाह्न तस्मिन्न निपारुणे I वर्तमाने तथा रौद्रे महावीर वरक्षये ॥१॥ 

સંજયે કહ્યું-તે મહાભયંકર દિવસનો લગભગ પ્રથમ ભાગ વીતી ગયો,ત્યાં સુધી તો પૂર્વોક્ત રીતે,ભયાનક એવો મહાન વીરોનો નાશ કરનાર ઘોર રણસંગ્રામ ચાલુ જ હતો.ત્યારે,તમારા પુત્ર દુર્યોધનની આજ્ઞાથી,દુર્મુખ,કૃતવર્મા,કૃપાચાર્ય,શલ્ય અને વિવિંશતિ નામના પાંચ અતિરથીઓ ભીષ્મની પાસે જઈને તેમનું રક્ષણ કરવા લાગ્યા.ભીષ્મના બાણોથી વીંધાયેલાઓની ભયકંર ચીસો,રણસંગ્રામમાં સંભળાતી હતી.ત્યારે ક્રોધાયમાન થયેલો અભિમન્યુ,તેમની સામે ધસી આવ્યો.અને તેણે ભીષ્મના ધ્વજને તોડીને,તેમને નવ બાણો વડે ઢાંકી દીધા,અને તેમની પાછળ તેમનું રક્ષણ કરનાર પાંચ અતિરથીઓ સાથે પણ લડવા લાગ્યો.

Sep 11, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-921

 

અધ્યાય-૪૬-ભયંકર રણસંગ્રામ 


॥ संजय उवाच ॥ राजन शतसहस्त्राणि तत्र तत्र पदातिनां I निर्मर्याद प्रयुद्वानि तत्तेवक्ष्यामि भारत ॥१॥ 

સંજયે કહ્યું-હે રાજન,તે યુદ્ધમાં જ્યાં જુઓ ત્યાં લાખો પાળાઓ પોતાની મર્યાદાનો ત્યાગ કરીને,જેમ આવે તેમ લડતા હતા.તે યુદ્ધમાં પુત્ર પોતાના પિતાને,પિતા પોતાના પુત્રને,ભાઈ પોતાના સાગા ભાઈને,મામા પોતાના ભાણેજને,ભાણેજ પોતાના મામાને,અને મિત્ર પોતાના મિત્રને ગણતો નહોતો.જાણે ભૂતનો આવેશ થયો હોય તેમ પરસ્પર ભાન રાખ્યા વિના પાંડવો અને કૌરવો લડતા હતા.હે રાજા,કેટલાએક શૂરવીરો,રથોને લઈને રથોના સૈન્યમાં ધસી જતા હતા,ત્યારે એકેકની ધુંસરીઓ અથડાવાથી તે ભાંગી જતી હતી અને રથો આડેધડ સામસામે ટકરાવાથી ભાંગી પડતા હતા.

Sep 10, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-920

 

અધ્યાય-૪૫-દ્વંદ્વ યુદ્ધ 


॥ संजय उवाच ॥ पुर्वाहुणे तस्य रौद्रस्य युध्धमहनो विशांपते I प्रावर्तत महाघोरं राज्ञां देहावकर्तन ॥१॥ 

સંજયે કહ્યું-હે રાજા,તે ભયંકર દિવસના પહેલા ભાગમાં જે મહાઘોર યુદ્ધ થયું,તેમાં ઘણા રાજાઓના શરીર કપાવા જ લાગ્યા હતા.પરસ્પરને જીતવાની ઈચ્છાવાળા રાજાઓની ગર્જનાઓના ભીષણ ધ્વનિએ આકાશમંડળને ગજાવી મૂક્યાં.

ધનુષ્યની દોરીના ટંકારો,પાળાઓના પગના શબ્દો,ઘોડાઓના હણહણાટો,હાથીઓની ચીસો અને રથના ઘડાઘડાટો વગેરેના તુમુલ અવાજોથી રૂવાં ઉભા થઇ જાય તેવું દૃશ્ય હતું.એ વેળાએ પોતાના જીવવાની આશા છોડીને સર્વ કૌરવો,પોતાના મનને ક્રૂર કરીને પાંડવોની સામે પહોંચ્યા પછી,યમ ના દંડ જેવું ભયંકર ધનુષ્ય લઈને ભીષ્મ અર્જુન સામે ધસ્યા.

Sep 9, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-919

 

અધ્યાય-૪૪-યુદ્ધ પ્રારંભ 


॥ धृतराष्ट्र उवाच ॥ एवं व्युढेष्वनकेषु मामकेष्वितरेन च I के पूर्व प्राहरस्तत्र कुरवः पाण्डवां किम् ॥१॥ 

ધૃતરાષ્ટ્રે પૂછ્યું-આ પ્રમાણે મારા અને શત્રુઓના સૈન્યની વ્યૂહરચના થઇ રહ્યા પછી,કૌરવ-પાંડવમાંથી કોણે પ્રથમ પ્રહાર કર્યો?

સંજયે કહ્યું-હે રાજન,તે વખતે પ્રથમ જ પોતાના ભાઈઓ સહીત દુઃશાસન,ભીષ્મને આગળ કરીને સેનાની સાથે આવ્યો.

તે જ પ્રમાણે સર્વે પાંડવો પણ ભીમને અગ્રેસર કરીને ત્યાં આવ્યા.ને પછી બંને સૈન્યનોએ એકબીજા તરફ ધસારો ચાલુ કર્યો.

ને બંને સૈન્ય વચ્ચે ઘોર રણસંગ્રામ શરૂ થયો ને પરસ્પર પ્રહારનો આરંભ થયો.તે વખતે બંને સેનાઓમાં વાયુથી ખળભળી ઉઠેલા સમુદ્રની ગર્જના જેવો તુમુલ કોલાહલ થયો.ભીમસેનની સાંઢ(આખલા)ની જેવી ગર્જનાઓએ,સિંહનાદોને,હાથીઓની ચીસોને ને હજારો ઘોડાઓના હણહણાટને પણ મંદ પાડી દીધા.

Sep 8, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-918

 

યુધિષ્ઠિર બોલ્યા-હે પિતામહ,જો આપ મારુ કલ્યાણ ઇચ્છતા હો તો,મને સલાહ આપો કે-કોઈથી પણ ન જીતી શકાય તેવા આપને હું યુદ્ધમાં કેવી રીતે જીતી શકું? યુદ્ધમાં બીજાઓ દ્વારા આપનો નાશ કરી શકાય તેવો ઉપાય મને કહો'

ભીષ્મ બોલ્યા-હે તાત,યુદ્ધમાં મને જીતી શકે તેવો કોઈ પુરુષ મને દેખાતો નથી,ને વળી,અત્યારે મારા મૃત્યુનો સમય પણ આવ્યો નથી,માટે તમે ફરીથી મારી પાસે આવજો,ત્યારે હું ઉપાય જણાવીશ'

Sep 3, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-917

 

અધ્યાય-૪૩-ગુરુઓ તથા વડીલોનું પૂજન 


॥ वैशंपायन उवाच ॥ गीता सुगीता कर्तव्या किमन्यै शास्त्रविस्तरेः I या स्वयं पद्मनाभस्य मुखपद्मानिद्विनिर्गता ॥१॥ 

વૈશંપાયને કહ્યું-જે સાક્ષાત ભગવાન શ્રીકૃષ્ણના મુખમાંથી નીકળી છે,તે ગીતાશાસ્ત્રનું જ સારીરીતે પઠન કરવું,બીજા શાસ્ત્રોનાં લાંબા લાંબા પઠન કરવાથી શું ફળ છે? જેમ,શ્રી ગંગાજી સર્વ તીર્થમય છે,ભગવાન વિષ્ણુ સર્વ દેવમય છે અને મનુ ભગવાન સર્વ વેદોમય છે તેમ,ગીતા સર્વ શાસ્ત્રમય છે.ગીતા,ગોવિંદ,ગાયત્રી અને ગોવિંદ-આ ચાર 'ગ'કાર યુક્ત નામો જો નિરંતર હૃદયમાં રહે,તો તેને ફરીથી જન્મમરણ પ્રાપ્ત થતાં નથી.આ ગીતામાં શ્રીકૃષ્ણે 620 શ્લોક,અર્જુને 57 શ્લોક,સંજયે 67 શ્લોક અને ધૃતરાષ્ટ્રે 1-શ્લોક કહેલો છે.આ બધા શ્લોકો મળીને એકંદરે ગીતાના 745 શ્લોકો થાય છે.(મહા)ભારતરૂપી અમૃતના સર્વસ્વરૂપ ગીતાનું મંથન કરીને,તેમાંથી સાર (તત્વ)કાઢીને શ્રીકૃષ્ણે,અર્જુનના મુખમાં તેનો હોમ કર્યો છે (5)

Sep 2, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-916

 

ईश्वरः सर्वभूतानां हृद्देशेऽर्जुन तिष्ठति ।भ्रामयन्सर्वभूतानि यन्त्रारूढानि मायया ॥६१॥

तमेव शरणं गच्छ सर्वभावेन भारत ।तत्प्रसादात्परां शान्तिं स्थानं प्राप्स्यसि शाश्वतम् ॥६२॥

इति ते ज्ञानमाख्यातं गुह्याद्‌गुह्यतरं मया ।विमृश्यैतदशेषेण यथेच्छसि तथा कुरु ॥६३॥

હે અર્જુન,એ ઈશ્વર,યંત્રો પર બેસાડેલાં સર્વ ભૂતોને માયા વડે ભ્રમણ કરાવતાં સર્વ ભૂતોના હૃદયમાં રહે છે.

હે ભારત,સર્વ પ્રકારે તે ઈશ્વરને જ શરણે તું જા જેની કૃપાથી તું પરમ શાંતિ તથા શાશ્વત સ્થાનને પામીશ.(૬૨)

એ પ્રમાણે મેં તને ગુહ્યથી અતિ ગુહ્ય ગીતાશાસ્ત્રરૂપી જ્ઞાન કહ્યું,

એનો સંપૂર્ણપણે વિચાર કરીને જેમ તારી ઈચ્છા હોય તેમ તું કર.(૬૩)

Sep 1, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-915

 

न तदस्ति पृथिव्यां वा दिवि देवेषु वा पुनः ।सत्त्वं प्रकृतिजैर्मुक्तं यदेभिः स्यात्त्रिभिर्गुणैः ॥४०॥

ब्राह्मणक्षत्रियविशां शूद्राणां च परन्तप ।कर्माणि प्रविभक्तानि स्वभावप्रभवैर्गुणैः ॥४१॥

પૃથ્વીમાં કે પાતાળમાં અથવા સ્વર્ગમાં દેવોને વિષે પણ એવું તે કંઈ વિદ્યમાન નથી કે જે પ્રાણી અથવા 

પદાર્થ પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા આ સત્વાદિ ત્રણ ગુણોથી રહિત હોય.(૪૦)  

હે પરંતપ ! બ્રાહ્મણ,ક્ષત્રીય, વૈશ્ય તથા શુદ્રોનાં કર્મોના પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા ગુણો વડે 

જુદા જુદા વિભાગો પાડવામાં આવ્યા છે.(૪૧)